વર્ષ 1960- 70 મા અાધુનિક ચીનના સ્થાપક માઓ ઝેડોંગ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિની નામના ધરાવતા હતા. તાજેતરમાં ચીનમાં ફરીથી રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયેલા શી જિનપીંગ પણ માઓ ઝેંડોગની રાહે ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચીનની વિધાનસભાએ દેશના રાષ્ટ્રપતિ પદ માટેની બે ટર્મની સમય મર્યાદાને નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો છે. જેને કારણે શી જિનપીંગ ફરી અેક વખત ચીનની કમાન સંભાળવા માટે સુસજ્જ થયા છે. તેનાથી ચીન અને વિશ્વના દેશો પર શું અસર થશે તે જાણવા માટે ગણેશજીઅે તેની કુંડળીનો અભ્યાસ કરીને અહીંયા જણાવ્યું છે.
જિનપીંગના વડપણ હેઠળ મજબૂત સરકારનું નિર્માણ
ચીન શનિની મહાદશાના અંતિમ ચરણમાંથી પસાર થઇ રહ્યું છે જે ચીનમાં અામૂલ પરિવર્તન અને સંપૂર્ણ ચિત્રમાં બદલાવના સંકેત અાપે છે. વધુમાં, ગુરુની અાંતર દશા દર્શાવે છે કે શી જિનપીંગના વડપણ હેઠળ અાંતરિક રાજકારણમાં પણ ઘર્ષણ અને સંઘર્ષનો માહોલ પ્રવર્તેલો રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
મહાસત્તા બનવાની પ્રબળ ઇચ્છા
વધુમાં, મંગળ સપ્તમ અને શનિ અષ્ટમ સ્થાનમાં છે. અા બન્ને ગ્રહો દસમા સ્થાનને જુએ છે. જે ચીનની મહાસત્તા બનવાની પ્રબળ ઝંખનાને દર્શાવે છે. શી જિનપીંગ અા લક્ષ્યને પાર પાડવા માટે સખત મહેનત કરશે.
ભારત-ચીનના સંબંધો વિશે પણ વાંચવુ ગમશે.
વિપક્ષને અાપશે જડબાતોડ જવાબ
મિથુન રાશિમાં બુધ, મંગળ તેમજ સૂર્યની મજબૂત યુતિથી શી જિનપીંગ શિસ્તબદ્વ રીતે દેશની કમાન સંભાળશે. તે દેશ પર તેના શાસનની પકડને પણ વધુ મજબૂત બનાવવાનું સામર્થ્ય હાંસલ કરશે. તે તેના સ્થાનને વધુ શક્તિશાળી બનાવીને વિપક્ષને પણ જડબાતોડ જવાબ અાપશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.
શું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો? શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય ? અમારા
વિદ્વાન જ્યોતિષીઓનું માર્ગદર્શન પ્રાપ્ત કરીને તમારી દરેક શંકાઓ દૂર કરો.
અન્ય દેશો માટે ચિંતાનું કારણ બની શકે ચીન
ચીનના અાંતરિક રાજકારણના સમાચાર મીડિયા અને બાહ્ય જગતમાં પ્રસારિત ના થવા પાછળનું કે તેની ગુઢતા પાછળનું કારણ કર્કમાં રહેલો ગોચરનો રાહુ છે. કમ્યુનિસ્ટ પાર્ટીની કુંડળી પણ પક્ષમાં મહત્વના પરિવર્તનનો અણસાર અાપે છે. ભ્રામક રાહુ શાસનકારી સરકાર માટે કેટલાક અણધાર્યા વિધ્નો ઊભા કરે તેવી સંભાવના પ્રબળ છે. અાંતરિક વિગ્રહ કે લડાઇના પણ સંકેત છે. ખાસ કરીને 11 માર્ચ 2019 બાદ ભાગલાવાદી ચળવળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. અેપ્રિલ 2019 થી ઓક્ટોબર 2019 સુધીનો સમય શી જિનપીંગ માટે પડકારજનક રહેશે. અા દરેક પ્રકારની ઉથલ પાથલ અન્ય દેશો માટે પણ ચિંતાનું કારણ બને તેવી ગણેશજી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.
ગણેશજીના અાશીર્વાદ સાથે
13 Mar 2018
View All blogs